Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

તમે અબોલા શીદ લ્યો છો રાજ, પ્રાણજીવન પ્રભુ મારા?
અમને દુઃખડાં શીદ દ્યો છો રાજ, પ્રાણજીવન પ્રભુ મારા?

તમે અમારા, અમે તમારા,
ટાળી શું દ્યો છો રાજ? ... પ્રાણજીવન.

ઊંડે કૂવે ઊતર્યા છે વહાલા,
છેહ આમ શું દ્યો છો રાજ? ... પ્રાણજીવન.

મીરાં કહે પ્રભુ ગિરિધરના ગુણ,
હૃદયકમલમાં રહો છો રાજ ... પ્રાણજીવન.

- મીરાંબાઈ

Add comment

Submit