if (!window.top.location.href.startsWith("https://swargarohan.org/") && window.top.location.href != window.self.location.href) window.top.location.href = window.self.location.href;

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

'મા'ની મધુમય મુખાકૃતિમાં, આ પૃથ્વી પર પ્રકટીને, સૌથી પહેલાં તેણે તને તેના દર્શનના દૈવી આનંદનો અનુભવ આપ્યો છે, એ હું જાણું છું. એ અદભૂત અનુભવ તેં નથી કર્યો ?

એનું પયપાન કરીને, એની સ્નેહસુધામાં સુખપૂર્વક સ્નાન કરીને, અને એના અનુરાગને અંતરમાં અને અંગેઅંગમાં ભરીને, આ પાવન પૃથ્વીપર તેં પા પા પગલી કરી છે, એ હું જાણું છું. એ વાતનું તને વિસ્મરણ થયું છે ?

સૂર્યોદય પહેલાંની સવારના પંખીના સુમધુર સ્વરથી પણ વધારે સુમધુર સ્વરે, તેણે તારું સ્વાગત કર્યું છે, અને અનુકૂળ કે પ્રતિકૂળ પરિસ્થિતિની પરવા કર્યા વિના, મીઠામાં મીઠી માવજતથી, તારા તન ને મનમાં, અરે સમસ્ત જીવનમાં, મધુ મઢ્યું છે, એ હું જાણું છું. એ સ્નેહની તને સ્મૃતિ છે ?

ને પછી, પ્રિયતમાના એક બીજા રૂપમાં, અભિનયનાં અવનવાં, અલૌકિક અજવાળાં પાથરતા, જીવનના રંગમંચ પર એણે પ્રવેશ કર્યો છે. એ પાત્રમાં પ્રવેશીને એણે એની સમસ્ત સંપત્તિનું તને સમર્પણ કર્યું છે, ને તારા જીવનને જ્યોત્સ્નાથીય વધારે આહલાદક અજવાળે ભર્યું છે, એ હું જાણું છું. એ અનેરો અનુભવ શું તું ભૂલી ગયો છે ?   

સ્નેહનાં એ સર્વોત્તમ સ્વરૂપોમાં એની જરીક પણ ઝાંખી કરી શક્યો હોત, મમતા ને મધુરતાના એ મંગલ મધપૂડાના મધુને લેશ પણ જાણી શક્યો હોત, તો તું ઈશ્વરનો ઈન્કાર ના કરત, ઈશ્વરથી દૂર ના ફરત, ઈશ્વરના શ્રીચરણે તારું જીવન ધરત, ને મૃત્યુના મુખમાં પણ ના રમત.

- શ્રી યોગેશ્વરજી

*  *  *

माता की मधुमयी मुखाकृति में, पृथ्वी पर प्रकट होकर, सबसे पहले उसने तुझे अपने दर्शन का दैवी आनंदानुभव प्रदान किया है, मैं जानता हूँ । तुझे उस अदभुत अनुभव का अवसर नहीं मिला ?

उसका पयपान करके, उसकी स्नेह-सुधासरिता में सुखपूर्वक स्नान करके, उसके अनुराग को अंतर और अंग-अंग में भरकर, इस पावन पृथ्वी पर तू प्रस्थान कर चुका है, मैं जानता हूँ । तुझे उसका विस्मरण हो गया है ?

सूर्योदय होने से पूर्व, प्रभात के पक्षी के सुमधुर स्वर से भी अधिक सुमधुर स्वर से, उसने तेरा स्वागत किया है, और अनुकूल-प्रतिकूल परिस्थिति की परवाह किये बिना, मधु से मधु ममता से, तेरे तन-मन में, अरे, समस्त जीवन में, सुधासिंचन किया है, मधु से मंडित किया है, मैं जानता हूँ । तुझे उस स्नेह की स्मृति है ?

और पश्चात्, प्रियतमा के एक अन्य रूप में, अभिनय के नवीन, अलौकिक प्रकाश-रश्मि फैलाते, जीवन के रंगमंच पर उसने प्रवेश किया है । उस पात्र के रूप में प्रवेश करके अपनी समस्त संपत्ति का तुझे समर्पण किया है; तेरे जीवन को ज्योत्सना से भी अधिक आह्लाद से भरा है; मैं जानता हूँ । उस असाधारण अनोखे अनुभव की तुझे विस्मृति हो गयी है ?

स्नेह के उन सर्वोत्तम स्वरूपों में तू उसकी तनिक भी झाँकी कर सका होता, ममता और मधुरता के मंगल मधु-छत्ते के मधु को लेश भी जान सका होता, तो ईश्वर का इन्कार नहीं करता, ईश्वर से दूर नहीं रहता; ईश्वर के श्रीचरणों में तेरा जीवनधन धरता, और मृत्यु के मुख में नहीं रमता ।

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.