if (!window.top.location.href.startsWith("https://swargarohan.org/") && window.top.location.href != window.self.location.href) window.top.location.href = window.self.location.href;

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

વિપત્તિનો વરસાદ વરસે, ને મસ્તક પર ઘોર ગગડાટ કરતાં ઘન ગરજે, તો પણ મારા મુખમંડળની મધુતા મટે નહિ, ને મારા હૃદયનો રસભંડાર ખૂટે નહિ : મારું મેઘધનુશું સ્વાભાવિક સ્મિત મટે નહિ !

ચિંતાની ચિતા ચારેકોર પ્રજળ્યા કરે, અને આપત્તિના અંગાર આજુબાજુથી અણધાર્યા આવી મળે, તો પણ મારા મુખમંડળની મધુતા મટે નહિ, ને મારા હૃદયનો રસભંડાર ખૂટે નહિ : મારું મેઘધનુશું સ્વાભાવિક સ્મિત મટે નહિ !

નિષ્ફળતા ને નિરાશાનું નર્તન થાય, અને અશાંતિ ને વેદના મારી આસપાસ પોતાનું ગીત ગાય, તો પણ મારા મુખમંડળની મધુતા મટે નહિ, ને મારા હૃદયનો રસભંડાર ખૂટે નહિ : મારું મેઘધનુશું સ્વાભાવિક સ્મિત મટે નહિ !

અમાસના અપાર અંધકારના ઓળા બધે ઊતરી પડે, ને પ્રકાશનું એકે કિરણ અને એથી આલોકિત આવાસ અથવા પ્રવાસનો પંથ પણ ના જડે, તો પણ મારા મુખમંડળની મધુતા મટે નહિ, ને મારા હૃદયનો રસભંડાર ખૂટે નહિ : મારું મેઘધનુશું સ્વાભાવિક સ્મિત મટે નહિ !

વહાલાં હોય તે પણ વિદાય લે, સ્નેહી સ્નેહ તેમજ સાથ છોડી દે, તથા સ્વાગત કરનારાં ને સ્તુતિ ગીત ગાનારાં અપમાન અને અભિશાપની સામગ્રી દે, તો પણ મારા મુખમંડળની મધુતા મટે નહિ, ને મારા હૃદયનો રસભંડાર ખૂટે નહિ : મારું મેઘધનુશું સ્વાભાવિક સ્મિત મટે નહિ !

ચારે તરફ ભલે કાદવ હોય, ને સ્મશાનના સાથી વિનાના સરોવરમાં જ કમળ બનીને શ્વાસ લેવાનું ને સ્નાન કરવાનું હોય, તો પણ મારા મુખમંડળની મધુતા મટે નહિ, ને મારા હૃદયનો રસભંડાર ખૂટે નહિ : મારું મેઘધનુશું સ્વાભાવિક સ્મિત મટે નહિ !

જીવનનો મારો રસ કદી પણ ના ખૂટે, વિશ્વાસ ના તૂટે, ને તારી સાથેનો સનાતન, સ્વર્ગીય, સુધામય સંવાદ ના છૂટે, સ્વપ્ને પણ ના છૂટે, ઓ મહાકવિ ! મારા કરુણા, પ્રેમ, પ્રશાંતિ ને તિતિક્ષાના અનેરી ઐશ્વર્યને કદી કાળ ને કોઈ પણ ના લૂંટે !

- શ્રી યોગેશ્વરજી

*  *  *

विपत्ति की वर्षा बरसे, मस्तक पर घोर गड़गड़ाहट करते घन गरजें, तो भी मेरे मुखमंडल की मधुता मिटे नहीं, मेरे हृदय का रसभंडार घटे नहीं; मेरा मेघधनु-सदृश स्वाभाविक स्मित मिटे नहीं !

चिंता की चिता चारों ओर प्रज्वलित हो उठे, आपत्ति के अंगार आकस्मिक रूप से आ मिलें, तो भी मेरे मुखमंडल की मधुता मिटे नहीं, मेरे हृदय का रसभंडार घटे नहीं; मेरा मेघधनु-सदृश स्वाभाविक स्मित मिटे नहीं !

निष्फलता और निराशा का नर्तन हो, अशांति और वेदना मेरे आसपास अपना करुणातिकरुण गीत गायें, तो भी मेरे मुखमंडल की मधुता मिटे नहीं, मेरे हृदय का रसभंडार घटे नहीं; मेरा मेघधनु-सदृश स्वाभाविक स्मित मिटे नहीं !

अमावस के अपार अंधकार के आवरण सर्वत्र उमड़ पड़े, प्रकाश की किरणें और उससे आलोकित आवास अथवा प्रवास का पथ भी न दिखाई दे, तो भी मेरे मुखमंडल की मधुता मिटे नहीं, मेरे हृदय का रसभंडार घटे नहीं; मेरा मेघधनु-सदृश स्वाभाविक स्मित मिटे नहीं !

प्रियजन भी विदाय ले लें, स्नेही स्नेह तथा साथ छोड़ दें, स्वागत करनेवाले और स्तुति-गीत गानेवाले अपमान और अभिशाप देने लगें, तो भी मेरे मुखमंडल की मधुता मिटे नहीं, मेरे हृदय का रसभंडार घटे नहीं; मेरा मेघधनु-सदृश स्वाभाविक स्मित मिटे नहीं !

चारों ओर चाहे कीचड़ हो, और निर्जन सरोवर में कमल बनकर साँस लेना और स्नान करना पड़े, तो भी मेरे मुखमंडल की मधुता मिटे नहीं, मेरे हृदय का रसभंडार घटे नहीं; मेरा मेघधनु-सदृश स्वाभाविक स्मित मिटे नहीं !

मेरा जीवनरस कभी भी न घटे, विश्वास न तूटे, तेरे साथे का सनातन, स्वर्गीय, सुधासंपूर्ण संवाद न छूटे और स्वप्न में भी न छूटे । ओ मेरे महाकवि ! मेरे करुणा, प्रेम, प्रशांति तथा तितिक्षा के असाधारण ऐश्वर्य को कभी कोई भी न लूटे !

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.