સમી સાંજે મંદિરના પ્રાંગણમાં એક નવયુવાને પ્રવેશ કર્યો, ને દેવદર્શન કરીને બહાર બેઠેલા પંડિત પાસે જઈને તે ઊભો રહ્યો.
‘અરે, તેં મને નમસ્કાર પણ ના કર્યા?’ પંડિત તરત બોલી ઊઠ્યા: ‘તને ખબર નથી કે ગામના મોટા મોટા લોકો પણ મને નમસ્કાર કરે છે?’
‘પણ તમે આટલા બધા ઉતાવળા કેમ થઈ ગયા?’ યુવાને ઉત્તર આપ્યો: ‘હું તમારી ધીરજ, નમ્રતા, સમતા ને મહાનતાની કસોટી કરતો હતો.’
ને બે હાથ જોડી મસ્તક નમાવીને તે રવાના થયો.
- શ્રી યોગેશ્વરજી