if (!window.top.location.href.startsWith("https://swargarohan.org/") && window.top.location.href != window.self.location.href) window.top.location.href = window.self.location.href;

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

માણસ એવી શક્તિ મેળવે કે શોધ કરે જેના પ્રભાવથી એ આકાશમાં ઊડી શકે, બીજાના મનની વાત કરી શકે, દીર્ઘાયુ બની શકે, સુખોપભોગનાં સઘળાં સાધનો વસાવી શકે, પ્રકૃતિનાં તત્વોને નાથી શકે, અને ભૂતભાવિના પડદાને હઠાવી શકે, તો પણ શું ? એ કદાચ સર્વ પ્રકારના જ્ઞાનવિજ્ઞાનના સંગ્રહ જેવો બની જાય તો પણ શું ? ભૌતિકક્ષેત્રે એ બધી સિદ્ધિઓનું મહત્વ જરૂર મનાવાનું પરંતુ આત્મિક ક્ષેત્રે માનવ જેને માટે તલસે છે એ બધું એથી એને ભાગ્યે જ મળવાનું. જે શાંતિ, સુખ, આનંદ, સ્વતંત્રતા, મુક્તિ કે પૂર્ણતાને માટે એ ઝંખે છે, એની સિદ્ધિ માટે તો એણે બીજી દિશામાં જ પ્રયાસ કરવો પડવાનો. એના વિના એ ઝંખના સફળ નહિ જ થઈ શકવાની.

જ્યાં સુધી માણસ પોતે સદગુણ, સદવિચાર ને સત્કર્મની મૂર્તિ નથી બન્યો અથવા એને માટેની કોશિશ પણ નથી કરતો; જ્યાં સુધી પોતાના મન ને પોતાની ઈન્દ્રિયો પર કાબૂ કરવાનો પ્રયત્ન નથી કરતો; વિશાળ, ઉદાર, સેવાપરાયણ તથા સ્નેહમય નથી બનતો; અને સંસારની વિનાશીતા તેમજ વિષયોની ક્ષણભંગુરતાને સમજીને મનને તેમાંથી પાછું વાળીને અવિનાશી ઈશ્વરમાં નથી પરોવતો; ત્યાં સુધી એનું જીવન મંગલ નથી થઈ શકતું. અને એ બીજાનું મંગલ પણ નથી કરી શકતો.

આપણા અને બીજાના જીવનને સુખમય કરવા માટે આપણે આદર્શ માનવ થવાની તથા આ પૃથ્વી પર સ્નેહ, સંપ તેમજ સહકારથી આદર્શ રીતે જીવવાની જરૂર છે. એનું નામ જ ધર્મ. ધર્મ અથવા આધ્યાત્મિકતા એ મંગલમય કામમાં મદદરૂપ થાય છે માટે જ એની મહત્તા છે. અને એનો અનાદર કરનારે જાણવું જોઈએ કે, આજે એની આવશ્યકતા સૌથી વધારે છે - માનવધર્મની આવશ્યકતા. માનવની પાસે બીજું બધું હશે પરંતુ એના પોતાના સહજ ધર્મ જેવી માનવતા નહીં હોય તો એ બધું એને સંપૂર્ણ સુખ-શાંતિ નહી આપી શકે અને સંસારને સ્વર્ગીય પણ નહીં કરી શકે.

- શ્રી યોગેશ્વરજી
We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.