Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

મનુષ્યોયે વચન પાળે, તમે તો દેવ છો ત્યારે,
વળી છો પ્રકટ પરમાત્મા, તરત આવો હવે વ્હારે..... મનુષ્યોયે

દિવસ વીતી ગયા કૈંયે, યુગો જેવા ખરે થૈ ને;
તમારી રાહ જોવાયે, નિરંતર આંસુની ધારે..... મનુષ્યોયે

નવી માળા લઈ નિશદિન, તમારી આશમાં બેસું;
વચનનું ધ્યાન રાખીને જગાવી ગીતને તારે..... મનુષ્યોયે

તમે ના પાળશો વાણી, રહે શ્રદ્ધા પછી શાની;
તમોને કોણ ભજશે માનશે ને પૂજશે પ્યારે ? ... મનુષ્યોયે

ન તલસાવો કૃપાળુ હવે,મને ના અન્ય કૈંય ગમે;
થઈ 'પાગલ’ તમારા નેહમાં નહરાવશો ક્યારે ? ... મનુષ્યોયે

 - શ્રી યોગેશ્વરજી

Add comment

Submit