if (window.top.location.href !== window.self.location.href && !window.top.location.href.startsWith('https://swargarohan.org/')) { window.top.location.href = window.self.location.href; }

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

आदिः स संयोगनिमित्तहेतुः परस्त्रिकालादकलोऽपि दृष्टः ।
तं विश्वरूपं भवभूतमीड्यं देवं स्वचित्तस्थमुपास्य पूर्वम् ॥५॥

adih sa samyoganimittahetuh
parastrikaladakalo'pi drstah ।
tam visvarupam bhavabhutamidyam
devam svachittasthamupasya purvam ॥ 5॥

આદિ જગતના પરમાત્મા છે કાલાતીત અકલ સાચે,
છતાં જીવ ને પ્રકૃતિના સંયોગતણા તે કારણ છે;
અંતરમાં તે પરમાત્મા છે, જગતરૂપમાં તે પ્રકટ્યા,
પુરાણ છે તે સ્તુત્ય, કર્યાથી ભક્તિ પ્રેમથી તે મળતા. ॥૫॥

અર્થઃ

સઃ - તે
આદિઃ - સૌના મૂળ કારણ પરમાત્મા
ત્રિકાલાત્ પરઃ - ત્રણે કાળથી અતીત
અકલઃ - કળારહિત
અપિ - (હોવા છતાં) પણ
સંયોગનિમિત્તહેતુઃ - પ્રકૃતિની સાથે જીવનો સંયોગ કરાવવામાં કારણોના પણ કારણ
દૃષ્ટઃ - જણાયા છે.
સ્વચિત્તસ્થમ્ - પોતાના હૃદયમાં રહેલા
તમ્ - તે
વિશ્વરૂપમ્ - સર્વરૂપ
ભવભૂતમ્ - જગતરૂપે પ્રકટ
ઇડ્યમ્ - સ્તુતિ કરવા યોગ્ય
પૂર્વમ્ - પુરાણ પુરુષ
દેવમ્ ઉપાસ્ય - પરમદેવ પરમાત્માને ઉપાસીને (મેળવવા જોઇએ).

ભાવાર્થઃ

પરમાત્માની પ્રાપ્તિ એમની ઉપાસના દ્વારા પણ કરી શકાય છે. આ શ્લોક દ્વારા એનો સંકેત સાંપડે છે. એ પરમાત્મા સૌના આદિ છે, કલારહિત છે, દેશકાળથી અતીત છે. એમને લીધે જ જીવનો પ્રકૃતિ સાથે સંયોગ સધાય છે. એ માનવ હૃદયપ્રદેશમાં વિરાજમાન છે, સર્વરૂપ છે, અને સર્વવ્યાપક છે. એ જ સ્તુતિ કરવા યોગ્ય છે. એમની શ્રદ્ધાભક્તિપૂર્વક ઉપાસના કરવાથી એમનો સાક્ષાત્કાર થઇ શકે છે. એટલા માટે એમની આરાધનાનો આધાર લેવો જોઇએ.

 

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.