if (!window.top.location.href.startsWith("https://swargarohan.org/") && window.top.location.href != window.self.location.href) window.top.location.href = window.self.location.href;

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

वेदान्ते परमं गुह्यं पुराकल्पे प्रचोदितम् ।
नाप्रशान्ताय दातव्यं नापुत्रायाशिष्याय वा पुनः ॥२२॥

vedante paramam guhyam purakalpe prachoditam ।
naprasantaya datavyam naputrayasisyaya va punah ॥ 22॥

પૂર્વકલ્પમાં જ્ઞાન આ હતું ઉપનિષદમહીં વર્ણવિયું;
શાંતચિત્ત ના હોયે તેને પરમજ્ઞાન આ ના ધરવું.
તેમજ પુત્ર ન હો પોતાનો, શિષ્ય વળી પોતાનો ના,
તેવા જનને જ્ઞાન ન દેવું; પુત્ર શિષ્ય તો યોગ્ય થતા. ॥૨૨॥

અર્થઃ

(ઇદમ્ - આ)
પરમમ્ - પરમ
ગુહ્યમ્ - રહસ્યમય ગૂઢ જ્ઞાન
પુરાકલ્પે - પૂર્વકલ્પમાં
વેદાન્તે - વેદના અંતિમ ભાગ - ઉપનિષદમાં
પ્રચોદિતમ્ - સારી રીતે ઉપદેશવામાં આવ્યું.
અપ્રશાન્તાય - જે સંપૂર્ણ શાંત અથવા તઅચંચળ હોય નહીં એને
ન દાતવ્યમ્ - એ ના આપવું.
પુનઃ - વળી
અપુત્રાય - પોતાનો પુત્ર ના હોય એને
વા - અથવા
અશિષ્યાય - શિષ્ય ના હોય એને
ન (દાતવ્યમ્) - ના આપવું.

ભાવાર્થઃ

આ અત્યંત રહસ્યમય પરમપવિત્ર ગૂઢ જ્ઞાનનો ઉપદેશ વેદના અંતભાગ જેવા ઉપનિષદમાં પૂર્વકલ્પમાં આપવામાં આવેલો. એ ઉપદેશ ચંચળ બુદ્ધિના, અશાંત મનના, અસ્થિર માનવને ના આપવો. કારણ કે તે તેને સમજી કે પચાવી નહિ શકે. એનો ઉપદેશ પોતાના પુત્ર કે શિષ્યને આપવામાં કશું ખોટું નથી. કારણ કે પિતા કે ગુરુ પોતાના પુત્રને કે શિષ્યને સંસ્કારી અથવા અધિકારી બનાવી શકે છે એટલે એ ઉપદેશ નિષ્ફળ નહિ જાય.

 

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.