if (!window.top.location.href.startsWith("https://swargarohan.org/") && window.top.location.href != window.self.location.href) window.top.location.href = window.self.location.href;

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

यस्य देवे परा भक्तिः यथा देवे तथा गुरौ ।
तस्यैते कथिता ह्यर्थाः प्रकाशन्ते महात्मनः ॥२३॥
प्रकाशन्ते महात्मन इति ।

yasya deve para bhaktih yatha deve tatha gurau ।
tasyaite kathita hyarthah prakasante mahatmanah ॥ 23॥
prakasante mahatmana iti ।

જેની પ્રભુમાં પરમભક્તિ છે, ગુરુમાં તેવી ભક્તિ વળી,
તેજ મહાત્મા રહસ્યમય આ જ્ઞાન સમજશે સ્પષ્ટ કરી,
તેના અંતરમાં જ જ્ઞાન આ પ્રકાશિત થશે સ્પષ્ટ કરી. ॥૨૩॥

અધ્યાય છઠ્ઠો પૂરો
*  *  *
કૃષ્ણયજુર્વેદીય શ્વેતાશ્વતરોપનિષદ સમાપ્ત

અર્થઃ

યસ્ય - જેની
દેવે - પરમાત્મામાં
પરા - ઉત્તમ
ભક્તિ - ભક્તિ છે.
યથા - જેવી રીતે
દેવે - પરમાત્મામાં
તથા - તેવી રીતે
ગુરૌ - ગુરુમાં પણ છે.
તસ્ય મહાત્મનઃ - તે મહાત્મા પુરુષના હૃદયમાં
હિ - જ
એતે - આ
કથિતાઃ - બતાવેલા
અર્થાઃ - રહસ્યાર્થો
પ્રકાશન્તે - પ્રકાશે છે.
પ્રકાશન્તે મહાત્મનઃ - એ જ મહાપુરુષના હૃદયમાં પ્રકાશે છે.

ભાવાર્થઃ

ઉપનિષદનું આ રહસ્યમય ગૂઢ જ્ઞાન એના અર્થ સાથે સૌ કૌઇના હૃદયમાં પ્રકાશ પામતું નથી. સદગુરુની અને પરમાત્માની સુદ્રઢ શ્રદ્ધભક્તિથી જે સંપન્ન છે અને પવિત્ર જીવન જીવે છે તેવા વિરલ મહાત્માપુરુષોના હૃદયમાં જ તે પ્રકાશ પામે છે. 'જે કોઇ પ્રેમઅંશ અવતરે, પ્રેમરસ તેના ઉરમાં ઠરે.' એટલે આત્મજ્ઞાનના રહસ્યને જાણવા કે પામવા માગનારા પુરુષે પવિત્ર પરમાત્મમય જીવન જીવવાનો પ્રયત્ન કરવો જોઇએ. प्रकाशन्ते महात्मन - પદનો બે વાર પ્રયોગ કરવામાં આવ્યો છે એ ઉપનિષદની સમાપ્તિ સૂચવે છે.

 

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.