if (window.top.location.href !== window.self.location.href && !window.top.location.href.startsWith('https://swargarohan.org/')) { window.top.location.href = window.self.location.href; }

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

પ્રભાત પૂરું થાય તે પહેલાં માળી ફૂલવાડીનાં ફૂલને વીણી લે છે. એ જ સાચો સમય હોય છે - ફૂલને વીણી લેવાનો; પછી કોઈ કરમાઈ જાય કે કોઈનાથી વીણાઈ જાય. એ ફૂલ ફોરમ ફેલાવીને કહ્યા કરે છે કે કોઈ અમને લઈ લો; બડભાગી બની લો.

નદીનું નીર બીજાને ખપ લાગતું આગળ ને આગળ વહ્યે જ જાય છે. કોઈક કાનવાળાને કહ્યા કરે છે કે સાગરમાં સમાઈ જઉં ને મીઠારૂપે મટી જઉં ત્યાં સુધીમાં જેવો કરવો હોય તેવો મારો સદુપયોગ કરો; મારો આસ્વાદ લો.

વરસાદ પોતાને જે સુઅવસર સાંપડ્યો છે તેનો લાભ લઈને ધરતીને રસકસથી ભરી દેવા એના પર ઢળી પડે છે.

સૂર્યનો પ્રકાશ વહેલી સવારથી જ સેવાની સફર શરૂ કરે છે. પરબનું પાણી પ્યાસા પથિકની પ્રતીક્ષા કરવામાં, તેમની પાસે પહોંચવામાં આનંદ અનુભવે છે.

વસંત પૂરબહારમાં ખીલીને સૃષ્ટિને સુશોભિત બનાવે છે. એ પણ જાણે છે કે સેવા, સ્નેહ, આરાધનાનો આવો અવસર અવારનવાર નથી આવતો. એ વ્યર્થ ના વહી જાય એ માટે પાનખર પહેલાં એ પોતાનું કામ પૂરું કરે છે.

જીવનનું ને જીવનની વસંતનું પણ એવું જ છે. એ છે ત્યાં સુધી સંપૂર્ણપણે સેવા કરી લે, પૂજા કરી લે, આહ્લાદ દઈ ને લઈ લે. એ બધાં જ એમ કહ્યા કરે છે; જે સાંભળે છે તેમને કહ્યા કરે છે.

(૧૬-૫-૧૯૬૦, સોમવાર)

-© શ્રી યોગેશ્વરજી (સ્વાતિબિંદુ)

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.