Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

ચાર માસ પહેલા તો તમે જીવન જીવતાં
હતાં સ્વસ્થ પ્રસન્ના ને પલાળી નિજ પ્રીતમાં
રહેલાં સર્વને માતા બની સ્નેહાળ સર્વનાં
ત્રણ માસ પહેલાં ને સમાધિસ્થ થઈ ગયાં.

કાળચક્ર ત્વરાથી જે ચાલે છેક પુરાતન
વરસોની કરી દે તે કથા સત્ય સનાતન.
કથાકાર નવા આવે રહી જાય છતાં કથા,
પલટાય ભલે પાત્રો પલટાય નહીં વ્યથા.

વીતે દિવસ ને વીતે મહિના વરસો વળી
છતાંયે ચંદ્રિકાકેરી ચારુતા ના ઘટે જરી
તમારી સ્મૃતિયે એવી રીતે નિત્ય નવી રહી
વધશે કાળની સાથે કરમાશે કદી નહીં.

અજરામર એમાંથી પામીને પ્રાણ પ્રેરણા
લોહને પલટી દેશે વિના કિલ્મિષ હેમમાં.

- શ્રી યોગેશ્વરજી