Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

ભજન છે ભગવાનનું, સેવન વળી સંસારનું,
એક સુખ ને શાંતિ આપે, અન્ય દુ:ખપ્રદ જાણવું.

ભજનથી ક્લેશો શમે ને તાપ ત્રય અંતે ટળે,
અશાંતિ મહીં શાંતિ, ફોરમ સુખદ પ્રસરી વળે.

ભજનને જીવન, વિષયની રતિ જ મૃત્યુ માનવું,
એક સુખ ને શાંતિ આપે, અન્ય દુ:ખપ્રદ જાણવું.

જીવ, વિષમય વિષયના રસમાં જતો ડૂબી નહીં,
પ્રકૃતિના નાદે જતો ભગવાનને ભૂલી નહીં.

ભજન કરતાં ભાવથી છે પરમપદને પામવું,
એક સુખ ને શાંતિ આપે, અન્ય દુ:ખપ્રદ જાણવું.

- શ્રી યોગેશ્વરજી (કાવ્યસંગ્રહ 'આરતી' માંથી)

Add comment

Submit