if (window.top.location.href !== window.self.location.href && !window.top.location.href.startsWith('https://swargarohan.org/')) { window.top.location.href = window.self.location.href; }

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921
દુઃખના દાવાનલથી ડરી જઈશ તો કેમ ચાલશે ?
પ્રગતિના પ્રકાશમય પરમપાવન પથમાં દુઃખના દાવાનલ તો આવવાના જ.
મનોબળવાળાને એ કશું જ નહિ કરવાના,
પરંતુ કાયરને તો જોતાં જ જલાવી દેવાના.

પ્રતિકૂળતાના પ્રખર પવનથી કે વિરોધના વાવાઝોડાથી
ડગીને ડરી જઈશ તો કેમ ચાલશે ?
કર્તવ્યના કઠોર કુરુક્ષેત્રમાં પ્રતિકૂળતા ને વિરોધના વાવંટોળ તો આવવાના જ.
મજબૂત મનોબળવાળા સત્યપરાયણ પુરુષને એ કશું જ નહિ કરવાના,
પરંતુ ડરપોકને તો દર્શનથી જ ડરાવી દેવાના.

અનીતિ, અન્યાય, અનૃત અને અત્યાચારથી
હિંમત હારી જઈશ તો કેમ ચાલશે ?
જીવનના જટિલ જંગમાં, વિવિધ વ્યવહારોની વચ્ચે,
એ સૌનો સામનો તો કરવો જ પડવાનો,
સત્ય સંકલ્પવાળા, અનર્થની સામે શિર નહિ ઝુકાવનારા,
સમ્યક્ સામનો કરનારા કર્મવીરને એ કશું જ નહિ કરવાના,
પરંતુ નાસીપાસ થનારને ક્ષણવારમાં જ લાચાર કરવાના.

પંથમાં પડેલા કંટકથી, અછતથી, અવહેલનાથી,
અસફળતાની આવૃત્તિથી ભાગ્યને દોષ દઈને
મૃતઃપ્રાય બનીને બેસી રહીશ તો કેમ ચાલશે ?
પૂર્ણતાનો પુણ્યપ્રવાસ સંકટના કંટકથી ભરેલો છે.
એમાં અછત, અવહેલના, અસફળતાની આવૃત્તિ પર આવૃત્તિ આવ્યા કરે છે.

મહારથીઓ એમાંથી જ માર્ગ કરે છે, સ્મિત કરે છે, આગળ વધે છે.
ફક્ત દુર્બળ દિલના માનવો જ એનો અફસોસ કરે છે.
આંસુ સારે છે, અને અકાળે વિના-મૃત્યુ મૃત્યુ પામે છે.
અવહેલના, અછત, અસફળતા, આપત્તિથી
આશાને છોડી દઈને અકાળે અવસાન પામશે તો કેમ ચાલશે ?

ગરલને સરળ, સુધામય કર; દુઃખને સુખ ગણ;
પ્રતિકૂળતાની પણ અનુકૂળતા કર;
પ્રગતિ, પ્રકાશ, પૂર્ણતાના પથ પર આગળ ને આગળ પગલાં ભર !
જીવનને હાથે કરીને વધારે જડ, ઝેરી, જટિલ કરીશ તો કેમ ચાલશે ?

- શ્રી યોગેશ્વરજી
We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.