Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

तुलसीदास की विनम्रता
 
(चौपाई)
खल परिहास होइ हित मोरा । काक कहहिं कलकंठ कठोरा ॥
हंसहि बक दादुर चातकही । हँसहिं मलिन खल बिमल बतकही ॥१॥
 
कबित रसिक न राम पद नेहू । तिन्ह कहँ सुखद हास रस एहू ॥
भाषा भनिति भोरि मति मोरी । हँसिबे जोग हँसें नहिं खोरी ॥२॥
 
प्रभु पद प्रीति न सामुझि नीकी । तिन्हहि कथा सुनि लागहि फीकी ॥
हरि हर पद रति मति न कुतरकी। तिन्ह कहुँ मधुर कथा रघुवर की ॥३॥
 
राम भगति भूषित जियँ जानी । सुनिहहिं सुजन सराहि सुबानी ॥
कबि न होउँ नहिं बचन प्रबीनू । सकल कला सब बिद्या हीनू ॥४॥
 
आखर अरथ अलंकृति नाना । छंद प्रबंध अनेक बिधाना ॥
भाव भेद रस भेद अपारा । कबित दोष गुन बिबिध प्रकारा ॥५॥
 
कबित बिबेक एक नहिं मोरें । सत्य कहउँ लिखि कागद कोरे ॥६॥
 
(दोहा)
भनिति मोरि सब गुन रहित बिस्व बिदित गुन एक ।
सो बिचारि सुनिहहिं सुमति जिन्ह कें बिमल बिवेक ॥ ९ ॥

*
MP3 Audio

*
 
તુલસીદાસની વિનમ્રતા
 
(દોહરો)     
દુષ્ટોના ઉપહાસથી મારું હિત જ થશે,
કઠોર કોયલકંઠને કાગ સદા કહેશે.
 
મેઢક ચાતકની તથા બગલા હંસતણી
હાંસી કરતા તેમ મુજ નિર્મળ વાણ સુણી,
હસશે દુર્જન મલિનમન તો આશ્ચર્ય નહીં.
*
કવિતાનો રસ નથી જેમને રામચરણમાં પ્રેમ નથી,
એમનેય આ કવિતા હાસ્યરસે છોને સુખકર બનતી.
 
ભાષાની રચના છે આ તો, મતિ ભોળી ખૂબ જ મારી,
હાસ્યાસ્પદ છે તેથી દોષ નથી હસવામાં કૈં ભારી.
 
સજ્જન તો આ રામકથાને ભક્તિથી ભૂષિત જાણી
પ્રશંસા કરીને સાંભળશે બોલીને મધુમય વાણી;
 
કવિ નથી હું કાવ્યશાસ્ત્રમાં કુશળતા નથી કે મારી,
રચના શબ્દોની ના જાણું, વિદ્યાકળારહિત ન્યારી.
 
અક્ષર અર્થ અલંકારો ને રચના છંદોની ભારી
અનેકવિધ ભાવો ને રસ છે કવિતા સાધારણ ન્યારી;
 
ગુણદોષ કહ્યા કૈં કવિતાના વિદ્વાનોએ શાસ્ત્રમહીં,
કોરા કાગળ પર લખી દઉં એનું જ્ઞાન જરાય નથી.
કરવા બેઠો કવિતા કિન્તુ કવિતાકૌશલ લેશ નથી.
 
(દોહરો)     
રચના મારી ગુણરહિત, વિશ્વવિદિત ગુણ એક,
સુણશે એમ વિચારતાં જ્ઞાની નિર્મળ નેક.