रामचरितमानस की महिमा
(चौपाई)
मनि मानिक मुकुता छबि जैसी । अहि गिरि गज सिर सोह न तैसी ॥
नृप किरीट तरुनी तनु पाई । लहहिं सकल सोभा अधिकाई ॥१॥
तैसेहिं सुकबि कबित बुध कहहीं । उपजहिं अनत अनत छबि लहहीं ॥
भगति हेतु बिधि भवन बिहाई । सुमिरत सारद आवति धाई ॥२॥
राम चरित सर बिनु अन्हवाएँ । सो श्रम जाइ न कोटि उपाएँ ॥
कबि कोबिद अस हृदयँ बिचारी । गावहिं हरि जस कलि मल हारी ॥३॥
कीन्हें प्राकृत जन गुन गाना । सिर धुनि गिरा लगत पछिताना ॥
हृदय सिंधु मति सीप समाना । स्वाति सारदा कहहिं सुजाना ॥४॥
जौं बरषइ बर बारि बिचारू । होहिं कबित मुकुतामनि चारू ॥५॥
(दोहा)
जुगुति बेधि पुनि पोहिअहिं रामचरित बर ताग ।
पहिरहिं सज्जन बिमल उर सोभा अति अनुराग ॥ ११ ॥
*
MP3 Audio
*
રામચરિતમાનસનો મહિમા
(દોહરો)
મોતી મણિ માણેકની કાંતિ અલૌકિક હોય
પર્વત હાથી સર્પના શિરે ન સોહે તોય.
તરુણીના તનની ઉપર રાજમુકુટ પર તેમ
શોભે છે સંપૂર્ણ એ શોભે જેવું હેમ.
કવિતા ઉત્તમ કવિતણી ઊપજે એક સ્થળે
શોભા પામે અન્ય સ્થળ એના તત્વબળે.
સ્મરતાંવેંત સરસ્વતી બ્રહ્મલોક છોડી
ભક્તિ દેખતાં કવિતણી આવે છે દોડી.
રામરસ-સરે જ્યાં સુધી એ ના સ્નાન કરે
શ્રમ તેનો ના ત્યાં સુધી કોટિ ઉપાય ટળે.
એમ વિચારી કવિજનો પંડિત હરિગુણ ગાય,
કલિમલ હરનારા સદા હરિના યશમાં ન્હાય.
પ્રાકૃતજન ગુણગાન ના ગમે સરસ્વતીને,
થાય પ્રસન્ન કદી નહીં આવીને પ્રીતે.
હૃદય સિંધુ મતિ છીપ છે એમ વદે વિદ્વાન,
સ્વાતિ શારદાને ધરે ઉપમા તેમ સુજાન.
એમાં ઉત્તમ ભાવ કે વિચાર વરસે જો,
કવિતાકેરું કાંતિમય મોતી પ્રગટે તો.
એ મોતીને રામયશ સૂત્રમહીં ધારી
ધારે સજ્જન હૃદયમાં પ્રીતિથકી ન્યારી.