if (!window.top.location.href.startsWith("https://swargarohan.org/") && window.top.location.href != window.self.location.href) window.top.location.href = window.self.location.href;

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921
પ્રશ્ન : ઘણા વખતથી તમને પત્ર લખવાની ઈચ્છા હતી. આજે પ્રભુ પૂરી કરે છે. મને આધ્યાત્મિક રસ્તે આગળ વધવાની ખૂબ ઈચ્છા છે. પરંતુ મારો અંગત પ્રશ્ન મને મુંઝવે છે. મારા જેવી બેનોને માટે ધ્યાન શક્ય જ નથી. બાળકો, ઘરની જવાબદારી અને આખા દિવસનો થાક, પછી સવારે વહેલાં ઉઠાય જ ક્યાંથી ? છ વાગે ઊઠાય ત્યાં તો નાનું બાળક સાથે જ ઊઠે. સવારે ને રાતે બે વખત પાંચ મિનિટ ઈશ્વરસ્મરણ પણ ભાગ્યે જ થાય છે. રાતે પથારીમાં ઈશ્વરસ્મરણ કરું છું પણ તરત જ ઊંઘ આવી જાય છે. તો મારે શું કરવું ?
ઉત્તર : તમારી વાતને સહાનુભૂતિપૂર્વક સમજી શકું છું. દિવસભરના પરિશ્રમ પછી રાતે થાક લાગે ને ઊંઘ આવે તે બરાબર છે. પથારીમાં ઈશ્વરસ્મરણ ભાગ્યે જ થાય. ખાસ કરીને આવી અવસ્થામાં, છતાં પણ તમારે નિરાશ ને નાહિંમત થવાની જરૂર નથી. તમને આગળ વધવાની ઈચ્છા છે તે જ બતાવે છે કે, તમારા આત્મામાં શુભ આધ્યાત્મિક સંસ્કારો સુષુપ્ત રીતે પડેલાં છે. તે ઈચ્છાનો અમલ કરવા માટેની અનુકૂળતા શોધી કાઢો. રાતે થાક લાગીને ઊંઘ આવે છે તેની હરકત નહિ, પરંતુ તમે દિવસ દરમિયાન બીજા કોઈ પણ વખતે તથા ઘરના કામ કરતાં કરતાં પણ ઈશ્વરનું સ્મરણ કરવાની ટેવ પાડો. તો તમારા તનથી ઘરનું કામ થયા કરશે ને મનથી ઈશ્વરસ્મરણ ચાલુ રહેશે. બંને કામ ચાલુ રહ્યા છતાં બંનેમાંથી કશાનો બોજો નહિ લાગે કે બંને એકમેકની વચ્ચે નહિ આવે. બીજી વાત એ છે કે સવારે છ વાગે ઊઠવાને બદલે એક કે અડધો કલાક વહેલા ઊઠીને પણ ઈશ્વરસ્મરણ કરી શકો છો. એવી રીતે, ઘરના બીજા સભ્યો ઊઠે અને ઘરની પ્રવૃત્તિનો પ્રારંભ થાય તેની પહેલાં થોડોક આત્મિક સાધનાનો શાંત અભ્યાસ કરી શકો છો. ગમે તેમ કરીને વખત કાઢવાનું આપણા હાથમાં છે, ને તે વખત કાઢવો જ જોઈએ.

પ્રશ્ન : બીજો પ્રશ્ન પણ મને મુંઝવે છે. અમને બેનોને ચાર પાંચ બાળકો થયા પછી સંસારની ઈચ્છા થતી નથી, પરંતુ પુરૂષોને તો સાઠ વરસ સુધી તૃપ્તિ થતી નથી. બેનો પરાધીન છે. સંસારમાં શાંતિ જાળવવા માટે અમુક બાબતોનો આધાર એમણે ખેંચાઈને પણ લેવો પડે છે. હવે આવી બેનોના ઉદ્ધારની આશા ક્યાં છે ? આવતે જન્મે પુરૂષનો અવતાર મળે તે માટે તેમણે તો પ્રભુને પ્રાર્થના જ કરવી રહી.
ઉત્તર : તમારો આ પ્રશ્ન પણ સર્વ સામાન્ય છે. ક્યાંક પુરૂષોનું વિષયની દ્રષ્ટિએ વર્ચસ્વ હોય છે તો ક્યાંક સ્ત્રીઓનું. પરંતુ વિષયની લોલુપતાની એ વૃત્તિ ઘણી જ હાનિકારક ને પ્રાણઘાતક છે એની ના નહિ. પુરૂષે કે સ્ત્રીએ છેવટે તો તેમાંથી છૂટવું જ રહ્યું. જે પુરૂષ સાઠ વરસ જેટલી મોટી ઉંમર સુધી શરીરસુખની લાલસા રાખે છે અને પોતાની પત્નીના વિકાસને રૂંધે છે તેણે શરમાવું જ રહ્યું. સાચું કહીએ તો શરમથી મરી જવું જ રહ્યું.

આ દશામાં તમારે શું કરવું ? પુરૂષની હીન વૃત્તિને વખતોવખત મૂંગેમોઢે તાબે થવા કરવા કરતાં તમે એમને સમજાવો, ને સમજાવવા છતાં પણ જો ન માને તો, તેમની ઈચ્છાનો તમારા તથા તેમના હિત માટે વિરોધ કરીને તેમને કહેતાં શીખો. એટલું આત્મબળ આવશ્યક રહેશે. સાથે સાથે તમારી જાતને અસહાય માનવાને બદલે, ઈશ્વરનું શરણ લઈને તેની સાચા દિલની પ્રાર્થના કરો. તે તમારા પતિના દિલમાં નવો પ્રકાશ પાથરી, તેમને પલટાવીને, તમારા જીવનમાર્ગને મોકળો બનાવશે. તમારી મુશ્કેલીઓથી નાહિંમત બનવાને બદલે ઈશ્વરની આગળ શિશુસમાન સરળતાથી તેમને રજૂ કરતાં શીખો. અમુક સિદ્ધાંતો અથવા આદર્શોને બને ત્યાં સુધી વળગી રહો એ જ સત્યાગ્રહ છે. તેથી તમારી ઘણી મુસીબતો દૂર થઈ જશે. યાદ રાખો કે ઈશ્વર સદાયે તમારી પાસે છે, ને તમને પ્રકાશ પહોંચાડવા સઘળા સંજોગોમાં તત્પર છે. એટલે નિરાશ થવાનું કારણ નહિ રહે. જે પરિસ્થિતિ છે તેમાંથી યુક્તિપ્રયુક્તિથી માર્ગ કાઢીને ક્રમે ક્રમે આગળ વધો. તમારી ભાવના ને વૃત્તિ સારી તથા સાચી છે એટલે ઈશ્વર તમને જરૂર મદદ કરશે.
We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.