if (!window.top.location.href.startsWith("https://swargarohan.org/") && window.top.location.href != window.self.location.href) window.top.location.href = window.self.location.href;

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

સત્યના પાવન પ્રકાશને ઝીલવા જેટલી મારી બુદ્ધિ ઉત્તમ ના હોય એ સમજી શકાય એમ છે. પરંતુ એટલી વાસ્તવિકતાથી હું વિહ્વળ થઊં કે નિરાશ બનું તેમ નથી. તમારી શક્તિ તો સત્યના પાવન પ્રકાશનું પ્રાકટ્ય મારા તન, મન ને અંતરમાં, પ્રાણના પ્રત્યેક પરમાણુમાં, કરી શકે તેમ છે. પછી મારે શાનો ભય છે ?

પ્રેમના પાવન પ્રવાહને પ્રકટાવવા જેટલો મારો પ્રાણ પુનિત ના હોય એ સમજી શકાય એમ છે. પરંતુ એટલી વાસ્તવિકતાથી હું વિહ્વળ થઊં કે નિરાશ બનું તેમ નથી. તમારા પ્રેમના પ્રતાપથી, પ્રેમના પરમ પુનિત પ્રવાહનું પ્રકટીકરણ મારા તન, મન ને અંતરમાં, પ્રાણના પ્રત્યેક પરમાણુમાં, થઈ શકે તેમ છે. પછી મારે શેની ચિંતા છે ?

જ્ઞાન ને સૌન્દર્યનો સાક્ષાત્કાર કરવા જેટલું મારું અંતર અણીશુદ્ધ અને અમૃતમય ના હોય એ સમજી શકાય એમ છે. પરંતુ એટલી વાસ્તવિકતાથી હું વિહ્વળ થઊં કે નિરાશ બનું તેમ નથી. તમારી કૃપાપ્રસાદીના પરિણામે જ્ઞાન ને સૌન્દર્યનો સાંગોપાંગ સાક્ષાત્કાર કરી શકાય તેમ છે. પછી મને શાનો ભય છે ?

ઓ મારા પ્રેમમય, સત્યમય, સુંદર ને સુધામય ! મારામાં અલ્પતા છે માટે તો મેં તારી મહાનતાની મદદ માગી છે. તે મહાનતા મારી અલ્પતાનો અંત આણવા પર્યાપ્ત છે. પછી તને શાનો વિલંબ ને મને શેની ચિંતા છે ?

- શ્રી યોગેશ્વરજી

*  *  *

सत्य के पावन प्रकाश को पाने की उत्तम बुद्धि मुझ में न हो, यह समझ में आ सकता है, परंतु उतनी वास्तविकता से मैं विह्वल या निराश नहीं होनेवाला । आपकी शक्ति मेरे तन, मन और अंतर में, प्राण के प्रत्येक परमाणु में सत्य के पावन प्रकाश का प्राकट्य कर सकती है । फिर मुझे क्या भय है ?

प्रेम के पावन प्रवाह के प्राकट्य के लिये मेरे प्राणों में पर्याप्त पुनीतता न हो, यह समझ में आ सकता है, परंतु उतनी वास्तविकता से मैं विह्वल अथवा निराश नहीं होनेवाला । आपके प्रेम के प्रभाव से मेरे तन, मन और अंतर में, प्राण के प्रत्येक परमाणु में प्रेम के परम पुनीत प्रवाह का प्रकटीकरण हो सकता है । फिर मुझे क्या चिंता है ?

ज्ञान और सौंदर्य का साक्षात्कार करने योग्य अभिशुद्धि और अमृतमयता मेरे अंतर में न हो, यह समझ में आ सकता है, परंतु उतनी वास्तविकता से मैं विह्वल अथवा निराश नहीं होनेवाला । आपकी कृपाप्रसादी के परिणामस्वरूप ज्ञान और सौंदर्य का सांगोपांग साक्षात्कार हो सकता है । फिर मुझे क्या भय है ?

ओ मेरे प्रेममय, सत्यमय, सुंदर सुधासागर ! मुझमें अल्पता है, इसीलिये तो मैंने आपकी महानता की मदद माँगी है । वह महानता मेरी अल्पता का अंत लाने के लिये पर्याप्त है । फिर आपको क्यों विलंब और मुझे क्या चिन्ता ?

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.