if (!window.top.location.href.startsWith("https://swargarohan.org/") && window.top.location.href != window.self.location.href) window.top.location.href = window.self.location.href;

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

કુંજમાંથી કૂજન કરતી કોકિલના કંઠમાંથી કામણ કરનાર કોણ છે ? તે જ તને કામણ કરે છે, તથા તારા કાળજાને કોમળ કરીને કાયમને કાજે કેદ કરે છે. કુંજમાંથી કૂજન કરતી કોકિલના કંઠમાંથી કામણ કરનાર કહીશ કે કોણ છે ?

પરિમલ ભરેલાં, પ્રફુલ્લ પુષ્પોની પાંખડી પર પ્રેમના પવિત્ર પરમાણુને પ્રકટાવીને, તને પ્રસન્નતાથી પરિપ્લાવિત કરનાર કોણ છે ? તે જ તને પરિપ્લાવિત કરે છે, તથા તારા પ્રાણને પ્રેમમય કરીને પ્રભુતાથી પલાળી દે છે. પરિમલભર્યા, પ્રફુલ્લ પુષ્પોની પાંખડી પર, પ્રેમના પવિત્ર પરમાણુને પ્રકટાવીને, તને પ્રસન્નતાથી પરિપ્લાવિત કરનાર કહીશ કે કોણ છે?

સરિતા, સાગર ને સ્ત્રોતના સુમધુર સલિલમાં, સ્વર્ગીય સંગીતનું શ્રવણ કરાવતાં, સ્નાન કરનાર ને સુખશાંતિમાં સ્નાન કરાવનાર કોણ છે ? તે જ તને સ્નેહની સ્વર્ગીય સુધામાં સ્નાન કરાવે છે, તથા તારા સર્વસ્વને સનાતન સુખથી સજી દે છે. સરિતા, સાગર ને સ્ત્રોતના સુમધુર સલિલમાં, સ્વર્ગીય સંગીતનું શ્રવણ કરાવતાં, સ્નાન કરનાર ને સુખશાંતિમાં સ્નાન કરાવનાર કોણ છે ?

વ્યોમના વિશાળ વિતાન પર, અભ્રના અસાધારણ આસન પર આસીન થઈને, અનુરાગની અભિવ્યક્તિ કરનાર કોણ છે ? તે જ તારા તરફ વહાલને વ્યક્ત ને વહેતું કરે છે અને તારા અણુએ અણુને અલૌકિક કરે છે. વ્યોમના વિશાળ વિતાન પર, અભ્રના અસાધારણ આસન પર આસીન થઈને અનુરાગની અભિવ્યક્તિ કરનાર કહીશ કે કોણ છે ?

બાળકોની બેતાલ બોલીમાંથી, સ્નેહીજનના સરસ, શીતળ સ્પર્શમાંથી, ને અનેકની અમૃતમય, અજોડ આંખ કે કુદરતની કળાત્મક ક્રિયાથી, પોતાનો પુરાતન, પ્રેમપૂર્ણ પરિચય પૂરો પાડનાર કોણ છે ? તે જ પોતાના પ્રેમના પડછંદા પાડે છે, તેમજ હૃદયને રાગમય ને રસાળ કરે છે. તને જો આટલું સમજાઈ જાય તો જીવન જ્યોતિમય અને અવનવું થાય. અમાસના અંધારા આવાસમાં પૂનમનું પ્રભાત થાય, વેદથી વધારે વરવો વાયુ વાય, સાધના સમાપ્ત થાય, કે કલેશ કપાઈ જાય !

- શ્રી યોગેશ્વરજી

*  *  *

कुंज में कूजन करती कोकिला के कंठ से अभिभूत करनेवाला कौन है ? वही तुझे आकर्षित करता है; तेरे कलेजे को झंकृत करके हमेशा के लिये कैद करता है । कुंज में कूजन करती कोकिला के कंठ से अभिभूत करनेवाला कहोगे कि कौन है ?

परिमल से परिप्लावित, प्रफुल्ल पुष्पों की पंखुड़ियों पर, प्रेम के पवित्र परमाणु को प्रकटाकर, तुझे प्रसन्नता से परिप्लावित करनेवाला कौन है ? वही तुझे परिप्लावित करता है तथा तेरे प्राण को प्रेममय करके प्रभुता से भरता है । परिमलभरे, प्रफुल्ल पुष्पों की पंखुड़ियों पर, प्रेम के पवित्र परमाणु को प्रकटकर, तुझे प्रसन्नता से परिप्लावित करनेवाला कहेगा कौन है ?

सरिता, सागर और स्त्रोत के सुमधुर सलिल के स्वर्गीय संगीत का श्रवण कराते हुए स्नान करानेवाला और सुख-शांति में नहलानेवाला कौन है ? वही तुझे स्नेह की स्वर्गीय सुधा में स्नान कराता है और तेरे सर्वस्व को सनातन सुख से समलंकृत करता है । सरिता, सागर और स्त्रोत के सुमधुर सलिल के स्वर्गीय संगीत का श्रवण कराते हुए स्नान करानेवाला और सुख-शांति में नहलानेवाला कहेगा कौन है ?

व्योम के विशाल वितान पर, अभ्र के असाधारण आसन पर आसीन होकर, अनुराग की अभिव्यक्ति करनेवाला कौन है ? वही तेरे प्रति प्रेम को प्रकट और प्रसारित करता है और तेरे अणु-अणु को अलौकिकता से भरता है । व्योम के विशाल वितान पर, अभ्र के असाधारण आसन पर आसीन होकर, अनुराग की अभिव्यक्ति करनेवाला कहेगा कौन है ?

बालकों की तोतली बोली में, स्नेहीजन के सरस, शीतल, सुखप्रदायक स्पर्श में, अनेकों के अमृतमय बेजोड़ नेत्र अथवा कुदरती की कलात्मक क्रिया में अपना पुरातन प्रेमपूर्ण परिचय करानेवाला कहेगा कौन है ?

वही अपने प्रेम की प्रबल प्रतिध्वनि के द्वारा हृदय को रागमय, रस-सभर करता है । यदि इतना समझ में आ जाय तो जीवन ज्योतिर्मय, नवीन बन जाय, अमावस के अँधेरे आवास में पूनम के प्रभात का प्राकट्य हो जाय; ज्ञान का शीतल वायु प्रसरित हो जाय, साधना समाप्ति पर पहुँच जाय, और क्लेश मिट जाय ।

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.