Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

તમારા વિણ સાર કૈં જીવનમહીં લાગે નહીં,
શાંતિ મુક્તિ પૂર્ણતાની રાગિણી જાગે નહીં.
 
        ચિત્રના વરસાદથી ઉકળાટ કૈં ભાગે નહીં,
        મૃગજલતણા વારિથી પણ શાંતિ કૈં લાગે નહીં;
 
તમારા વિણ સાર કૈં જીવનમહીં લાગે નહીં,
ધન્યતાને વર્ષતી વીણા કદી વાગે નહીં.
 
        પુષ્પ કાગળનું કર્યું પણ વાસ તે આપે નહીં,
        કલ્પના સરિતાતણીયે પ્યાસ કૈં કાપે નહીં;
 
તમારા વિણ સાર કૈં જીવનમહીં લાગે નહીં,
શાંતિ મુક્તિ પૂર્ણતાની રાગિણી જાગે નહીં.
 
        જ્યાં સુધી નયનો તમારી સુધામાં રાચે નહીં,
        પ્રાણ 'પાગલ' તમારા ચરણોમહીં નાચે નહીં;
 
તમારા વિણ સાર કૈં જીવનમહીં લાગે નહીં,
ધન્યતાને વર્ષતી વીણા કદી વાગે નહીં.

 - શ્રી યોગેશ્વરજી

Add comment

Submit