Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

મમતા ખૂબ કરે મહારાજ !

ભક્તજનોને ભીડ પડે તો તરત કરી દે કાજ;
પોતાની જાણીને રાખે, નિશદિન નિજ જન લાજ.....મમતા.
 
પોતે તરે અન્યને તારે, તારે જેમ જહાજ;
દીનજનોનાં દર્દ હરી લે, સેવે સંતસમાજ.....મમતા.

તપ્ત હૃદયની શીતળ છાયા, ક્ષુધાર્તકાજ અનાજ;
 પ્યાસીનું છે પિયૂષ કેવલ, આવે સુણી અવાજ.....મમતા. 

દીનહીનને વૈભવ આપે, રંકજનોને રાજ;
ભજે ભાવથી સ્મરે તેમને અપાર આપે વ્યાજ.....મમતા.
 
કલંક લાગે નહીં કીર્તિને અવનીના અધિરાજ;
'પાગલ’ ને પાળો ને મમતા ખૂબ કરો મહારાજ ! .....મમતા.

 - શ્રી યોગેશ્વરજી

Add comment

Submit