Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921
તારા જીવનની ખારાશને હૃદયમાં સમાવી રાખીને
બીજાને તું અમી આપી શકે તો ?
એ કળામાં કુશળ થવું ને છતાંયે નમ્રાતિનમ્ર થવું તને ગમે છે ?

સાગરે મને સંદેશ આપ્યો,
ને મેં તેનો સાભાર સ્વીકાર કરતાં તેને હા કહી.

ત્યારથી સાગરનો એ સંદેશ મારા જીવનનો મૂળ મંત્ર બની ગયો છે.

- શ્રી યોગેશ્વરજી