if (window.top.location.href !== window.self.location.href && !window.top.location.href.startsWith('https://swargarohan.org/')) { window.top.location.href = window.self.location.href; }

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

य एको जालवानीशत ईशनीभिः सर्वांल्लोकानीशत ईशनीभिः ।
य एवैक उद्भवे सम्भवे च य एतद् विदुरमृतास्ते भवन्ति ॥१॥

ya eko jalavanisata isanibhih
sarvamllokanisata isanibhih ।
ya evaika udbhave sambhave cha
ya etad viduramrtaste bhavanti ॥ 1॥

પરમાત્મા વિશે
જગતજાળને રચે અને તે પર પોતાની શક્તિ વડે,
શાસન કરે, વિવિધ લોકો પર યોગ્યપણે સામ્રાજ્ય કરે,
મદદ વિના કોઈની જે આ સૃષ્ટિ ઘડે ને વિસ્તારે,
તે પ્રભુને જે જાણી લે તે અમર હમેશાંકાજ બને. ॥૧॥

અર્થઃ

યઃ - જે
એકઃ - એક
જાલવાનઃ - જગતરૂપી જાળના અધીશ્વર
ઇશનીભિઃ - એ વિવધ શાસન શક્તિથી
સર્વાન્ - સર્વે
લોકન્ ઇશતે - લોકો પર શાસન કરે છે.
યઃ - જે
એકઃ - એકાકી
એવ - જ
સંભવે ચ ઉદભવે - સૃષ્ટિની ઉત્પત્તિ અને એના વિસ્તાર માટે (સમર્થ છે)
એતત્ - તે પરમાત્માને
યે - જે
વિદુઃ - જાણે છે
તે અમૃતાઃ - તે અમર
ભવન્તિ - બને છે.

ભાવાર્થઃ

સંસારમાં પૂર્ણ, મુક્ત, મૃત્યુંજય અથવા અમર કોણ બને છે ? જે સંસારના વિષયોમાં આસક્ત થવાને બદલે સંસારના અધીશ્વર અથવા સ્વામીમાં પ્રીતિ અથવા આસક્તિ કરે છે, એમને ઓળખે છે, અને એમની સાથે એકતાને અનુભવે છે. એ પરમાત્માની ઓળખાણ આપતાં અહીં જણાવવામાં આવે છે કે એ એક છે, સંસારના સર્જન, સંરક્ષણ, સંવર્ધન તથા વિસર્જનની શક્તિવાળા છે અને સમસ્ત બ્રહ્માંડને પોતાના નિયંત્રણમાં રાખે છે. એમને માટે 'જાલવાન' નામે સરસ શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે. એ જગતરૂપી જાળના કર્તા તથા નિયંતા છે. કરોળિયો પોતાની લાળની મદદથી કોઇપણ બાહ્ય મદદ વિના જાળાને તૈયાર કરે છે તેમ તે પણ સ્વતંત્ર રીતે સંસારને સરજે છે. 'જાલવાન' શબ્દમાં એ સંદેશ સમાયેલો છે. પરમાત્મા જગતરૂપી જાળના અધીશ્વર છે. એટલે જે એમને શરણે જાય છે અને એમને ભજે છે તે એ જાળમાંથી એમની કૃપાથી સહેલાઇથી છૂટી જાય છે એવો સૂર પણ એમાં સમાયેલો છે.

 

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.