if (window.top.location.href !== window.self.location.href && !window.top.location.href.startsWith('https://swargarohan.org/')) { window.top.location.href = window.self.location.href; }

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

यो देवो अग्नौ योऽप्सु यो विश्वं भुवनमाविवेश ।
य ओषधीषु यो वनस्पतिषु तस्मै देवाय नमो नमः ॥१७॥

yo devo agnau yo'psu
yo visvam bhuvanamavivesa ।
ya osadhisu yo vanaspatisu
tasmai devaya namo namah ॥ 17॥

અગ્નિમહીં જે પરમાત્મા છે, જલમાં પણ જે વ્યાપક છે,
સમસ્ત વિશ્વે વસી રહ્યા જે, ઔષધિમાંયે વ્યાપક છે;
જે છે વળી વનસ્પતિમાં, તે પરમદેવ પરમાત્માને,
નમસ્કાર પરમાત્માને, તે નમસ્કાર પરમાત્માને ! ॥૧૭॥

અર્થઃ

યઃ - જે
દેવઃ - દેવોના દેવ પરમાત્મા
અગ્નૌ - અગ્નિમાં
યઃ - જે
અપ્સુ - પાણીમાં
યઃ - જે
વિશ્વમ્ ભુવનમ્ આવિવેશ - સમસ્ત બ્રહ્માંડ કે લોકલોકાંતરમાં પ્રવેશેલા છે.
યઃ - જે
ઓષધીષુ - ઔષધિમાં
યઃ - જે
વનસ્પતિષુ - વનસ્પતિમાં છે,
તસ્યૈ દેવાય - એ પરમદેવ પરમાત્માને
નમઃ - પ્રણામ છે.
નમઃ - નમસ્કાર અથવા પ્રણામ છે.

ભાવાર્થઃ

યોગી પહેલાં પરમાત્માને પોતાની અંદર પેખે છે અને એ પછી એનો અનુભવ વિસ્તૃત બનતાં સમસ્ત જગતમાં, જડચેતનાત્મક પદાર્થોની અંદર અને એમના રૂપમાં એમનું દર્શન કરે છે, એમનું દૈવી વિશ્વરૂપદર્શન એને સારુ સહજ બને છે. એ પરમદેવ પરમાત્માને એ અંદર-બહાર, ઉપર-નીચે, આગળ-પાછળ, પાણી-પાવક-પવન-પૃથ્વીમાં, વનસ્પતિ-વૃક્ષ-વલ્લરી, સરિતા સ્ત્રોત તથા સાગરમાં, સૂર્ય-ચંદ્ર-તારકમાં, માનવ અને માનવેતર પ્રાણીમાં, સર્વત્ર જુએ છે. એનું દર્શન એવી રીતે વ્યાપક બને છે. પરમાત્માના વિશ્વદર્શનમાં પરિણમે છે. ઋષિ એ પરમાત્માને પ્રેમપૂર્વક પ્રણામ કરે છે. એ જ ખરેખર પ્રણમ્ય છે. માનવ એમને ઓળખતાં, પ્રેમ કરતાં, અને પ્રણામ કરતાં શીખે તો એનું જીવન ઉજ્જવળ બને, શરીરધારણ સાચેસાચ સફળ કે સાર્થક થાય.

 

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.