if (!window.top.location.href.startsWith("https://swargarohan.org/") && window.top.location.href != window.self.location.href) window.top.location.href = window.self.location.href;

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

एको वशी निष्क्रियाणां बहूनामेकं बीजं बहुधा यः करोति ।
तमात्मस्थं येऽनुपश्यन्ति धीरास्तेषां सुखं शाश्वतं नेतरेषाम् ॥१२॥

eko vasi niskriyanam bahuna-
mekam bijam bahudha yah karoti ।
tamatmastham ye'nupasyanti dhira-
stesam sukham sasvatam netaresam ॥ 12॥

એક છતાંયે અનેક અક્રિય જીવોનો તે શાસક છે,
એક બીજ પ્રકૃતિનું, તેથી બહુવિધ જગ તે સર્જે છે;
તે હૃદયે રે’તા પ્રભુને જે ધીર હમેશાં દેખે છે,
તેને પરમાનંદ મળે છે, સુખ ના બીજા પેખે છે. ॥૧૨॥

અર્થઃ

યઃ - જે
એકઃ - એક જ
બહૂનામ્ - અનેક
નિષ્ક્રિયાણામ્ - નિષ્ક્રિય જડ જીવોના
વશી - શાસક છે.
એકમ્ - એક
બીજમ્ - પ્રકૃતિરૂપી બીજને
બહુધા - અનેક પ્રકારે પરિણત
કરોતિ - કરી દે છે.
તમ્ - તે
આત્મસ્થમ્ - હૃદયમાં રહેલા પરમાત્માને
યે - જે
ધીરાઃ - ધીર પુરુષો
અનુપશ્યતિ - અવલોકે છે.
તેષામ્ - તેમને
શાશ્વતમ્ - સનાતન
સુખમ્ - સુખ
ઇતરેષામ્ - બીજાને
ન - નહીં.

ભાવાર્થઃ

સંસારમાં સનાતન સુખ કોને સાંપડે છે ? પરમાત્માનો સાક્ષાત્કાર પોતાના હૃદયમાં કરનારા સાધનાપરાયણ મંગલ મહાપુરુષોને જ. બીજાને કદાપિ નથી સાપડી શકતું. એ પરમાત્મા સ્વયં સુખસ્વરૂપ હોઇને એમની પાસે પહોંચનાર સ્વાભાવિક રીતે જ સુખશાંતિથી સંપન્ન બને છે. એ પરમાત્મા પોતે એક જ હોવા છતાં અનેક જીવોના અથવા જડચેતનાત્મક સકળ સૃષ્ટિના શાસક છે. પ્રકૃતિરૂપી એક જ નાનાસરખા સીક્ષ્મ બીજને તે વિશ્વના વિવિધ નામરૂપ, રંગ તથા રસથી ભરેલા વિશાળ વૃક્ષમાં પરિણત કરે છે. એવી અનંત એમની શક્તિ છે.

 

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.