Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

ધરામાં જન્મીને સુભગ સલુણા શૈશવથકી
નવી તૃષ્ણાઓ ને નવલતર આશા ઉર ભરી
કર્યાં નૃત્યો કૈંયે અનવરત તેં સ્થૈર્યસહ તો
કદી અસ્થૈર્યે ને રુદન કરતાં હાસ્ય હસતાં

અનેકો દ્વંદ્વોમાં નિત રત બની શાંતિસુખ ના
છતાં પામ્યો, પામ્યો ધ્રુવપદ નહીં, સ્થૈર્ય પણ ક્યાં
તને લાધ્યું, લાધ્યો સફળ ન કિનારો સફરનો,
ગયું વીતી દૈન્યે પરવશસમું જીવન બધું.

કહે : નાચ્યો નાચ્યો પ્રભુ, અકળ દૈવી અભિનયે
કરી મંચે કૈંયે દિવસ વરસો જીવનતણાં
નવા ઉત્સાહે ને નવલતર રંગે રસથકી
ભરીને આત્માને; નવ હૃદય માગે વધુ હવે

લઈને લાચારી જગતપટપે નૃત્ય કરવા;
મનીષા આત્માના પુનિત પથપે પાય ભરવા.

- શ્રી યોગેશ્વરજી