Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

દિનો સુધી ના વરસાદ કેરા
એકાદયે બિંદુ તણો પમાયો
સંસ્પર્શ તો માનવ રોષ ભીનો
બની જઈ વ્યાકુળ ખિન્ન બોલ્યો,
વર્ષાતણાયે નિયમો પહેલાં—
જેવા રહ્યા ના કળિકાળમાં આ,
દયા જરાયે જગની ન એને.

ત્યાં તો પડી મૂશળધાર વર્ષા
આલિંગતાં વ્યાપક વિપ્રયોગને
પૃથ્વીતણી પીડ બધી શમાવતાં.
છતાં વદ્યો માનવ આદુ ખાઈ
વર્ષા રહી છે વરસી હવે તો
કલ્યાણ થાયે ખલુ બંધ જો રહે.

મેઘે વિચાર્યું વરસું અને જો
દિનો સુધી ના વરસું જનોને
સંજોગ એવા ઉભયે રુચે ના,
જાણી શકું ના ત્રુટિ શી મહારી
કે ભાવના માનવની નિરાળી
કલ્યાણને ક્યાંય શકે ન ભાળી ?

- શ્રી યોગેશ્વરજી