if (window.top.location.href !== window.self.location.href && !window.top.location.href.startsWith('https://swargarohan.org/')) { window.top.location.href = window.self.location.href; }

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

यदात्मतत्त्वेन तु ब्रह्मतत्त्वं दीपोपमेनेह युक्तः प्रपश्येत् ।
अजं ध्रुवं सर्वतत्त्वैर्विशुद्धं ज्ञात्वा देवं मुच्यते सर्वपापैः ॥१५॥

yad atma tattvena tu brahma tattvam
dipopameneha yuktah prapasyet ।
ajam dhruvam sarvatattvairvisuddham
jnatva devam muchyate sarvapapaih ॥ 15॥

દીપક જેવા આત્મતત્વથી યોગી પ્રભુને દેખે છે,
આત્મામાં પરમાત્માને એ યોગકાળમાં પેખે છે;
ત્યારે જાણી અજ ને નિશ્ચલ વિશુદ્ધ એ પરમાત્માને,
સર્વ જાતનાં બંધનથી એ યોગી મુક્ત થઈ જાયે. ॥૧૫॥

અર્થઃ

તુ - એ પછી
યદા - જ્યારે
યુક્તઃ - યોગી
ઇહ - અહીં
દીપોપમેન - દીપકની પેઠે (પ્રકાશમય)
આત્મતત્વેન - આત્મતત્વથી
બ્રહ્મતત્વમ્ - બ્રહ્મતત્વને
પ્રપશ્યેત્ - સારી રીતે પ્રત્યક્ષ કરે છે
(તદા સઃ - ત્યારે તે)
અજમ્ - અજન્મા
ધ્રુવમ્ - નિશ્ચળ
સર્વતત્વૈઃ - સઘળાં તત્વોથી
વિશુદ્ધમ્ - વિશુદ્ધ
દેવમ્ - દેવોના દેવ પરમદેવ પરમાત્માને
જ્ઞાત્વા - જાણીને
સર્વપાશૈઃ - બધાં બંધનોથી
મુચ્યતે - મુક્તિ મેળવે છે.

ભાવાર્થઃ

યોગીનો અંતરંગ અનુભવ એ પછી એક ડગલું આગળ વધે છે. એનો ઉલ્લેખ આવશ્યક, આવકારદાયક, આનંદજનક છે. દીપકના પ્રકાશની મદદથી જેમ બીજા પદાર્થ પેખી શકાય છે તેમ, આત્મતત્વના અનુભવ સુધી પહોંચેલો યોગી પરમાત્વ-તત્વનો સાક્ષાત્કાર કરે છે. એ પરમાત્મા અજન્મા, અચળ, સૌથી વધારે વિશુદ્ધ, સર્વશ્રેષ્ઠ તથા દેવોના દેવ છે. એમના અલૌકિક દિવ્ય દેવદુર્લભ દર્શનનો લાભ મેળવીને યોગી વાસના, કામના, અશાંતિ, મોહ, ભેદ અને અવિદ્યાનાં બધાં જ બંધનમાંથી મુક્તિ મેળવે છે ને ધન્ય બને છે.

 

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.