જ્યાં સુધી આત્માનો સંયમ સાધવામાં ન આવે, જ્યાં સુધી આત્મામાં સ્થિતિ કરવામાં ન આવે, જ્યાં સુધી આત્માનો અનુભવ પોતાની અંદર અને સમસ્ત જગતમાં કરવામાં ન આવે ત્યાં સુધી શરીરનો ગમે તેવો સંયમ હોય, મન અને ઈન્દ્રિયોનો ગમે તેવો નિગ્રહ હોય તોપણ તે માનવને સફળ કરી શકતો નથી, શાંતિ આપી શકતો નથી. હા, કદાચ સિધ્ધિ આપે પણ શાંતિ નહીં આપે.
- શ્રી યોગેશ્વરજી






















