પ્રાર્થના કોઈ સંગીતશાસ્ત્રવિશારદ ઉસ્તાદની શાસ્ત્રીય રાગરાગિણી નથી. પ્રાર્થના કેવળ સુરીલો રાગ નથી. પ્રાર્થના એટલે વિચારો અને ભાવોનું પરમાત્મા પ્રત્યે પ્રવાહીકરણ, અણુપરમાણુનું પવિત્ર પ્રેમપૂર્ણ પ્રસ્ફુટીકરણ. એ કોઈ લૌકિક માગણી નથી, પરંતુ પોતાના હૃદયને પરમાત્મા પ્રત્યે વહેતું કરવાની પ્રશાંત પ્રસન્ન પ્રક્રિયા છે. જીવ તથા શિવને સાંધનારો સેતુ છે. આત્મા અને પરમાત્માના સંમિલનની સરળ સચોટ સીધી સાધના છે.
- શ્રી યોગેશ્વરજી






















